રાજકોટ,
તા.૧૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના સામા કાંઠે પેડક રોડ પર રણછોડનગર શેરીનં.૨૪ માં રહેતા દિપકભાઈ પરસોતમભાઈ તાળા (ઉ.૫૪) નામના પટેલ આધેડે આજે રણછોડનગર શેરીનં.૧૩ માં આવેલા તેમના બીજા મકાને ગ્રાઉન્ડ ફ્લોરમાં પંખાના હુક સાથે ચામડાનો બેલ્ટ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં બી.ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અને મૃતદેહને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક દિપકભાઈ ૩ ભાઈમાં મોટા અને ચાંદીકામ કરતા હતા. તેમને સંતાનમાં ૨ પૂત્ર હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં તેઓ લોકડાઉનના કારણે કામધંધો બંધ રહેતા સતત ડિપ્રેશનમાં રહેતા હોવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પટેલ પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ